Did You Know On પ્રખ્યાત વૈજ્ઞાનિક (11)
- આર્કિમીડીઝ : - આર્કિમીડીઝ નો જન્મ ઇ.સ. પૂર્વે ૨૮૭, મુત્યુ ઇ.સ. પૂર્વે ૩૧૨.
તેનો જન્મ ઇટલી દેશના દક્ષિણભાગમાં સિસિલી નામના ટાપુ ઉપર આવેલા સીરક્યુઝ નામના એક નગર માં થયો હતો
- ડૉ.એ.પી.જે.અબ્દુલ કલમ-: ભારતને પ્રક્ષેપાસ્ત્ર ક્ષેત્રે મહાસત્તા બનાવનાર દેશના આ મહાન વૈજ્ઞાનિકને દેશના સર્વોચ સન્માન 'ભારતરત્ન'થી નવાજી ભારતે પોતાનો પ્રતિભાવ વ્યક્ત કર્યો છે.ગાઈડેડ મિસાઈલ(પ્રક્ષેપાસ્ત્ર)નો યશ ડૉ.અબ્દુલ કલામને ફાળે જાય છે.દેશનો ડિફેન્સ અને અંતરિક્ષ ક્ષેત્રે વિકાસ કરી દેશની નામના વધારવા અનેક સ્વપ્નો ડૉ.અબ્દુલ કલામ પાસે છે.
- ડૉ.કે.એસ.ક્રિશ્નન-: સી.વી.રામનના શિષ્ય,પ્રકાશના સંશોધનમાં તેમના સહભાગી,તેમણે 'નેશનલ પ્રોફેસર પદ' અને 'પદ્મભૂષણ'નાં પુરસ્કારો મળેલ છે.
- ડૉ.ચંદ્રશેખર વેકટ (સી વી )રામન-: 'રામન અસરની શોધ માટે તેમને ઈ.સ.૧૯૩૦ માં નોબેલ પારિતોષિક મળ્યું હતું.વિજ્ઞાનના ક્ષેત્રે નોબલ પારિતોષિક મેળવનાર તે પ્રથમ એશિયન વ્યક્તિ હતા.તેમણે 'ઇન્ડિયન એકેડમી ઓફ સાયન્સ' અને 'રામન ઇન્સ્ટીટયુટની સ્થાપના કરી હતી.
- ડૉ.જગદીશચંદ્ર બોઝ-: કેસ્કોગ્રાફ,રેઝોનન્સ,રેકોર્ડર વગેરે સાધનોની શોધ કરી વનસ્પતિમાં માનવીની માફક સંવેદના છે તે સાબિત કરી આખા જગતને આંજી નાખનાર વૈજ્ઞાનિક.તેમની બીજી શોધ ઇલેક્ટ્રિક વેવ્ઝ(વાયરલેસ) ની છે.
- ડૉ.જયંત નાર્લીકર-: ઈંગ્લેન્ડના પ્રાધ્યાપક મિ.ઓઈલ સાથે તેમણે આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદમાં સુધારા સૂચવ્યા છે.
- ડૉ.પ્રફુલ્લચંદ્ર રોય-: મહાન રસાયણશાસ્ત્રી.મર્ક્યુંરસ નાઈટ્રેસને લગતી તેમની શોધ નોધપાત્ર છે.
- ડૉ.મેધનાથ સહા-: મહાન ભૌતિકશાસ્ત્રી.ભૌતિકશાસ્ત્રને લગતા તેમના લખાણો અને સંશોધનો નોધપાત્ર છે.
- ડૉ.હોમી ભાભા-: ભારતીય અણુશક્તિ કાર્યક્રમના સર્જક,એટોમિક એનર્જી કમિશનના પ્રથમ અધ્યક્ષ.
- વિક્રમ સારાભાઇ-: ભારતના ટેકનોલોજી ક્ષેત્રના ભીષ્મપિતામહ ડો. વિક્રમ સારાભાઈનો જન્મ વર્ષ ૧૯૧૯માં અમદાવાદના શ્રેષ્ઠી અંબાલાલ સારાભાઈના ઘરમાં થયો હતો.ટેકનોલોજીને સામાન્ય માણસની જિંદગી બહેતર બનાવવામાં ઉપયોગ કરવાના લક્ષ્યને છેવટ સુધી વળગી રહેનારા આ દીર્ધદ્રષ્ટાને પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ એનાયત થયા છે.
- શ્રીનિવાસ રામાનુજમ-: વિશ્વવિખ્યાત ગણિતશાસ્ત્રી,જેમને નંબર થીયરી આપી.